ભારત 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની રજત જયંતી ઉજવી રહ્યું છે. 25 વર્ષ પહેલા આ દિવસે ભારતીય સેનાએ પોતાની બહાદુરી અને હિંમતથી ભારતમાં ઘૂસેલા પાકિસ્તાની સેના અને તેના ઘૂસણખોરોને ભગાડી દીધા હતા. આ અવસર પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા શુક્રવારે લદ્દાખમાં કારગિલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા.