પીએમ મોદીના સીએમ તેમજ પીએમ તરીકેના કાર્યકાળને 20 વર્ષ પૂરા થવા નિમિત્તે ગૃહ મંત્રી અમિત શાહે સરકારની ચેનલ સંસદ ટીવીને એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો.
આ દરમિયાન અમિત શાહે કહ્યુ હતુ કે, ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પહેલા તો વહિવટીતંત્રની કામગીરીને બરાબર સમજી હતી અને એ પછી નિષ્ણાતોને સરકાર સાથે જોડ્યા હતા.તેમના વિચારોને જાણીને લોકો સુધી અલગ અલગ પ્રકારની યોજનાઓને પહોંચાડી હતી.ગુજરાતમાં સૌથી ઉપેક્ષિત આદિવાસીઓ હતા.કોંગ્રેસે તેમનો ઉપયોગ વોટ બેન્ક તરીકે જ કર્યો હતો.2003માં સીએમ તરીકે નરેન્દ્ર મોદીએ પહેલી વખત વેર વિખેર થયેલી યોજનાઓને જોડીને આદિવાસીઓને તેમની જનસંખ્યાના આધારે અધિકારો આપ્યા હતા.પીએમ મોદીના મુખ્યમંત્રી તરીકેના સફળ શાસનના કારણે લોકોને આશા જાગી હતી કે, મલ્ટી પાર્ટી ડેમોક્રેટિક સિસ્ટમ પણ સફળ થઈ શકે છે.
પીએમ મોદીના સીએમ તેમજ પીએમ તરીકેના કાર્યકાળને 20 વર્ષ પૂરા થવા નિમિત્તે ગૃહ મંત્રી અમિત શાહે સરકારની ચેનલ સંસદ ટીવીને એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો.
આ દરમિયાન અમિત શાહે કહ્યુ હતુ કે, ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પહેલા તો વહિવટીતંત્રની કામગીરીને બરાબર સમજી હતી અને એ પછી નિષ્ણાતોને સરકાર સાથે જોડ્યા હતા.તેમના વિચારોને જાણીને લોકો સુધી અલગ અલગ પ્રકારની યોજનાઓને પહોંચાડી હતી.ગુજરાતમાં સૌથી ઉપેક્ષિત આદિવાસીઓ હતા.કોંગ્રેસે તેમનો ઉપયોગ વોટ બેન્ક તરીકે જ કર્યો હતો.2003માં સીએમ તરીકે નરેન્દ્ર મોદીએ પહેલી વખત વેર વિખેર થયેલી યોજનાઓને જોડીને આદિવાસીઓને તેમની જનસંખ્યાના આધારે અધિકારો આપ્યા હતા.પીએમ મોદીના મુખ્યમંત્રી તરીકેના સફળ શાસનના કારણે લોકોને આશા જાગી હતી કે, મલ્ટી પાર્ટી ડેમોક્રેટિક સિસ્ટમ પણ સફળ થઈ શકે છે.