વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે તેમના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. ગઈ કાલે સાંજે તેમણે ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી અને પોતાના 3 દિવસના પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠાની મુલાકાતે છે ત્યારે તેઓ અહીંની બનાસ ડેરીના નવા સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અત્યાધુનિક સુવિધાઓ અને પશુઓનું ખાસ ધ્યાન રખાય તે બાબતોને ધ્યાનમાં રાખીને બનાસ ડેરીનું નવું સંકુલ ઉભું કરવામાં આવ્યું છે. બનાસકાંઠા દિયોદર ખાતે 600 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવેલ નવું ડેરી સંકુલ અને બટાટા પ્રેસિંસિગ પ્લાન્ટ 19 એપ્રિલે સવારે રાષ્ટ્રને સમર્પિત કરાશે. નવું ડેરી સંકુલ ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ છે. આ પ્લાન્ટ લગભગ 80 ટન માખણ, 1 લાખ લિટર આઈસ્ક્રીમ, 20 ટન કન્ડેન્સ્ડ મિલ્ક અને 6 ટન ચોકલેટનું ઉત્પાદન કરીને દરરોજ લગભગ 30 લાખ લિટર દૂધની પ્રક્રિયા કરવામાં સક્ષમ રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે તેમના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. ગઈ કાલે સાંજે તેમણે ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી અને પોતાના 3 દિવસના પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠાની મુલાકાતે છે ત્યારે તેઓ અહીંની બનાસ ડેરીના નવા સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અત્યાધુનિક સુવિધાઓ અને પશુઓનું ખાસ ધ્યાન રખાય તે બાબતોને ધ્યાનમાં રાખીને બનાસ ડેરીનું નવું સંકુલ ઉભું કરવામાં આવ્યું છે. બનાસકાંઠા દિયોદર ખાતે 600 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવેલ નવું ડેરી સંકુલ અને બટાટા પ્રેસિંસિગ પ્લાન્ટ 19 એપ્રિલે સવારે રાષ્ટ્રને સમર્પિત કરાશે. નવું ડેરી સંકુલ ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ છે. આ પ્લાન્ટ લગભગ 80 ટન માખણ, 1 લાખ લિટર આઈસ્ક્રીમ, 20 ટન કન્ડેન્સ્ડ મિલ્ક અને 6 ટન ચોકલેટનું ઉત્પાદન કરીને દરરોજ લગભગ 30 લાખ લિટર દૂધની પ્રક્રિયા કરવામાં સક્ષમ રહેશે.