વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામના પ્રવાસે છે. કાર્બી આંગલોંગના દિફુ ખાતે તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, આ સુખદ સંયોગ છે કે આજે જ્યારે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આપણે આ ધરતીના મહાન સપૂત લચિત બોરફુકાનની 400મી જન્મજયંતી પણ ઉજવી રહ્યા છીએ. તેમનું જીવન રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રશક્તિની પ્રેરણા છે. કાર્બી આંગલોંગથી દેશના આ મહાન નાયકને હું નમન કરૂં છું. પોતાના સંબોધન પહેલા તેમણે સુરક્ષા ઘેરો તોડીને ત્યાં ઉપસ્થિત લોકો અને બાળકો સાથે હાથ પણ મિલાવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામના પ્રવાસે છે. કાર્બી આંગલોંગના દિફુ ખાતે તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, આ સુખદ સંયોગ છે કે આજે જ્યારે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આપણે આ ધરતીના મહાન સપૂત લચિત બોરફુકાનની 400મી જન્મજયંતી પણ ઉજવી રહ્યા છીએ. તેમનું જીવન રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રશક્તિની પ્રેરણા છે. કાર્બી આંગલોંગથી દેશના આ મહાન નાયકને હું નમન કરૂં છું. પોતાના સંબોધન પહેલા તેમણે સુરક્ષા ઘેરો તોડીને ત્યાં ઉપસ્થિત લોકો અને બાળકો સાથે હાથ પણ મિલાવ્યો હતો.