સમગ્ર દેશમાં આજે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હી ખાતે આવેલા મહાત્મ ગાંધીના સમાધિસ્થળ રાજઘાટ પર પહોંચ્યા હતા. રાજઘાટ ખાતે પીએમ મોદીએ ગાંધીજીને નમન કર્યા હતા, તેમજ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અહીં હાજર પ્રાર્થના સભામાં મોદીએ હાજરી આપી હતી. પીએમ મોદી ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહ સહિતના નેતાઓ પણ રાજઘાટ ખાતે પહોંચ્યા હતા.
સમગ્ર દેશમાં આજે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હી ખાતે આવેલા મહાત્મ ગાંધીના સમાધિસ્થળ રાજઘાટ પર પહોંચ્યા હતા. રાજઘાટ ખાતે પીએમ મોદીએ ગાંધીજીને નમન કર્યા હતા, તેમજ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અહીં હાજર પ્રાર્થના સભામાં મોદીએ હાજરી આપી હતી. પીએમ મોદી ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહ સહિતના નેતાઓ પણ રાજઘાટ ખાતે પહોંચ્યા હતા.