પ્લેન હાઈજેકિંગ અંગે નવા કાયદા મુજબ દેશમાં પ્રથમવાર નોંધાયેલા કેસમાં સ્પેશિયલNIAએ કોર્ટના પ્રિન્સિપાલ જજ એમ. કે. દવેએ મુંબઈના આરોપી બીરજુ સલ્લાને જીવે ત્યાં સુધી કેદની ઐતિહાસિક સજા ફટકારી છે. ઉપરાંત કોર્ટે આરોપીને પાંચ કરોડ રૂપિયાનો ધરખમ દંડ ફટકાર્યો છે. દંડની રકમમાંથી જેટ એરલાઈન્સની ફ્લાઈટનું ઈમર્જન્સી લેંન્ડિગ કરનાર પાઇલટ જય જરીવાલા, કો-પાઇલટ આશુતોષને એક-એક લાખ, એરહોસ્ટેસ નિકિતા જુનેજા અને મોહિત ત્યાગીને ૫૦- ૫૦ હજાર, બાકીના દરેક ક્રૂ મેમ્બર અને પ્લેનના તમામ ૧૧૬ પ્રવાસીઓને ૨૫-૨૫ હજાર રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સલ્લા દેશનો પહેલો નાગરિક છે જેને નેશનલ નો-ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવ્યો છે. એન્ટિ-હાઇજેકિંગ સુધારા કાયદા હેઠળ એનઆઈએ કોર્ટ દ્વારા સજા આપવામાં આવી હોય તેવો પણ આ પહેલો કેસ છે.
પ્લેન હાઈજેકિંગ અંગે નવા કાયદા મુજબ દેશમાં પ્રથમવાર નોંધાયેલા કેસમાં સ્પેશિયલNIAએ કોર્ટના પ્રિન્સિપાલ જજ એમ. કે. દવેએ મુંબઈના આરોપી બીરજુ સલ્લાને જીવે ત્યાં સુધી કેદની ઐતિહાસિક સજા ફટકારી છે. ઉપરાંત કોર્ટે આરોપીને પાંચ કરોડ રૂપિયાનો ધરખમ દંડ ફટકાર્યો છે. દંડની રકમમાંથી જેટ એરલાઈન્સની ફ્લાઈટનું ઈમર્જન્સી લેંન્ડિગ કરનાર પાઇલટ જય જરીવાલા, કો-પાઇલટ આશુતોષને એક-એક લાખ, એરહોસ્ટેસ નિકિતા જુનેજા અને મોહિત ત્યાગીને ૫૦- ૫૦ હજાર, બાકીના દરેક ક્રૂ મેમ્બર અને પ્લેનના તમામ ૧૧૬ પ્રવાસીઓને ૨૫-૨૫ હજાર રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સલ્લા દેશનો પહેલો નાગરિક છે જેને નેશનલ નો-ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવ્યો છે. એન્ટિ-હાઇજેકિંગ સુધારા કાયદા હેઠળ એનઆઈએ કોર્ટ દ્વારા સજા આપવામાં આવી હોય તેવો પણ આ પહેલો કેસ છે.