આ વર્ષના અંતમાં બિહારમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહેલા જન સૂરજના સ્થાપક પ્રશાંત કિશોરે શનિવારે વક્ફ અને રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે વકફને લઈને તેમનો વિરોધ કોઈ ધર્મ કે સમુદાય વિરુદ્ધ નથી, પરંતુ રાજકીય પ્રક્રિયા વિરુદ્ધ છે, જે સમાજના વિવિધ વર્ગોને આપવામાં આવેલા વચનો અને ખાતરીઓ વિરુદ્ધ છે.
પ્રશાંત કિશોરે કહ્યું કે દેશનુ નિર્માણ થયુ એ સમયે જે વચન નેતાઓએ સમાજના દરેક વર્ગને આપ્યું હતુ, તે તોડવાને બદલે તેને મજબૂત બનાવવું જોઈતું હતું. જો વક્ફ જેવી યોજનાઓમાં ફેરફાર કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા હોય, તો સમાજના અસરગ્રસ્ત વર્ગો સાથે વાતચીત કરવી જોઈએ અને તેમને વિશ્વાસમાં લેવા જોઈએ, જે હાલમાં થઈ રહ્યું નથી.