નદિલ્હીમાં બે દસકા બાદ ભાજપની જીત પર ખુશી વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યાલય પર કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. આ દરમિયાન તેમણે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસ-રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. કેજરીવાલને આડેહાથ લેતા મોદીએ કહ્યું હતું કે દિલ્હીના માલિક હોવાનો અહંકાર જનતાએ ઉતાર્યો.