કૃષિ કાયદાના વિરોધમાં એક મહિનાથી દિલ્હી સરહદે ખેડૂતો આંદલોન કરી રહ્યા છે. આ આંદોલનમાં શુક્રવારે ફરી એક વખત ઉગ્રતા જોવા મળી હતી. હરિયાણા, ઉત્તરાખંડ અને દિલ્હી સરહદે કેટલાક ખેડૂતો આંદોલનકારીઓને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. શાહજહાંપુર ખાતે પોલીસ સાથે ઘર્ષણ બાદ હાઈવેની બીજી બાજુ બંધ કરાતા દિલ્હી અને જયપુર વચ્ચેનો સંપર્ક કપાયો હતો. તે ઉપરાંત ઉત્તરાખંડમાં ખેડૂતોના એક સંગઠન દ્વારા પોલીસ સામે ટ્રેક્ટર દ્વારા બળ પ્રયોગ કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ ટ્રેક્ટરની મદદથી બેરિકેડ પાડી નાખ્યા હતા. આ ઉપરાંત ખેડૂત સંગઠનના સભ્યોએ શુક્રવારે સવારે હરિયાણાના સંખ્યાબંધ ટોલ પ્લાઝા સામેના બેરિકેડ દૂર કરીને દરવાજા ખુલ્લા કરીને વાહનોની ટોલ મુક્ત અવરજવર સંભવ કરી હતી. બીજી તરફ પંજાબના ભટિંડા ખાતે ભારતીય ખેડૂત યુનિયનના ખેડૂતોએ ભાજપના કાર્યાલયને ઘેરાવ કર્યો હતો. પોલીસે તેમને અટકાવતા ખેડૂતોએ તોડફોડ કરી હતી. આ ઉપરાંત લુધિયાણામાં રિલાયન્સ પેટ્રોલ પંપને ઘેરાવ કરીને ખેડૂતોએ લોકોને પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ-ડીઝલ ભરાવતા રોક્યા હતા. ખેડૂતો ઠેર ઠેર ધરણા પર બેઠા હતા.
કૃષિ કાયદાના વિરોધમાં એક મહિનાથી દિલ્હી સરહદે ખેડૂતો આંદલોન કરી રહ્યા છે. આ આંદોલનમાં શુક્રવારે ફરી એક વખત ઉગ્રતા જોવા મળી હતી. હરિયાણા, ઉત્તરાખંડ અને દિલ્હી સરહદે કેટલાક ખેડૂતો આંદોલનકારીઓને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. શાહજહાંપુર ખાતે પોલીસ સાથે ઘર્ષણ બાદ હાઈવેની બીજી બાજુ બંધ કરાતા દિલ્હી અને જયપુર વચ્ચેનો સંપર્ક કપાયો હતો. તે ઉપરાંત ઉત્તરાખંડમાં ખેડૂતોના એક સંગઠન દ્વારા પોલીસ સામે ટ્રેક્ટર દ્વારા બળ પ્રયોગ કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ ટ્રેક્ટરની મદદથી બેરિકેડ પાડી નાખ્યા હતા. આ ઉપરાંત ખેડૂત સંગઠનના સભ્યોએ શુક્રવારે સવારે હરિયાણાના સંખ્યાબંધ ટોલ પ્લાઝા સામેના બેરિકેડ દૂર કરીને દરવાજા ખુલ્લા કરીને વાહનોની ટોલ મુક્ત અવરજવર સંભવ કરી હતી. બીજી તરફ પંજાબના ભટિંડા ખાતે ભારતીય ખેડૂત યુનિયનના ખેડૂતોએ ભાજપના કાર્યાલયને ઘેરાવ કર્યો હતો. પોલીસે તેમને અટકાવતા ખેડૂતોએ તોડફોડ કરી હતી. આ ઉપરાંત લુધિયાણામાં રિલાયન્સ પેટ્રોલ પંપને ઘેરાવ કરીને ખેડૂતોએ લોકોને પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ-ડીઝલ ભરાવતા રોક્યા હતા. ખેડૂતો ઠેર ઠેર ધરણા પર બેઠા હતા.