2013ના વર્ષમાં પટના ખાતે થયેલા સીરિયલ બ્લાસ્ટ કેસના 10માંથી 9 આરોપીઓને કોર્ટે દોષી ઠેરવ્યા છે. જ્યારે એક આરોપીને પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. આગામી 1 નવેમ્બરના રોજ કોર્ટ આ મામલે દોષીતોને સજા સંભળાવશે. આજથી 8 વર્ષ પહેલા આજના દિવસે જ પટના ખાતે નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન જોરદાર વિસ્ફોટ થયો હતો. 27 ઓક્ટોબર, 2013ના રોજ બિહારની રાજધાની ખાતે થયેલા તબક્કાવાર વિસ્ફોટોમાં 6 લોકોના મોત થયા હતા અને 90 કરતા વધારે લોકોને ઈજાઓ પહોંચી હતી.
2013ના વર્ષમાં પટના ખાતે થયેલા સીરિયલ બ્લાસ્ટ કેસના 10માંથી 9 આરોપીઓને કોર્ટે દોષી ઠેરવ્યા છે. જ્યારે એક આરોપીને પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. આગામી 1 નવેમ્બરના રોજ કોર્ટ આ મામલે દોષીતોને સજા સંભળાવશે. આજથી 8 વર્ષ પહેલા આજના દિવસે જ પટના ખાતે નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન જોરદાર વિસ્ફોટ થયો હતો. 27 ઓક્ટોબર, 2013ના રોજ બિહારની રાજધાની ખાતે થયેલા તબક્કાવાર વિસ્ફોટોમાં 6 લોકોના મોત થયા હતા અને 90 કરતા વધારે લોકોને ઈજાઓ પહોંચી હતી.