સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સમુદ્ર સરહદી માર્ગે પાકિસ્તાનમાં તાલીમ પ્રાપ્ત ત્રાસવાદીઓ દેશ પર હુમલો કરી શકે તેવી આશંકા વ્યક્ત કરી હતી. આધ્યાત્મિક ગુરુ માતા અમૃતાનંદમયીના ૬૬મા જન્મદિવસ પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધતાં રાજનાથસિંહે જણાવ્યું હતું કે, પાકિસ્તાનના આતંકીઓ દેશ પર મોટો આતંકવાદી હુમલો કરી શકે છે તે વાતને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. કચ્છથી કેરળ સુધી પથરાયેલા કિનારા વિસ્તારો પર તેઓ હુમલો કરી શકે છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સમુદ્ર સરહદી માર્ગે પાકિસ્તાનમાં તાલીમ પ્રાપ્ત ત્રાસવાદીઓ દેશ પર હુમલો કરી શકે તેવી આશંકા વ્યક્ત કરી હતી. આધ્યાત્મિક ગુરુ માતા અમૃતાનંદમયીના ૬૬મા જન્મદિવસ પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધતાં રાજનાથસિંહે જણાવ્યું હતું કે, પાકિસ્તાનના આતંકીઓ દેશ પર મોટો આતંકવાદી હુમલો કરી શકે છે તે વાતને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. કચ્છથી કેરળ સુધી પથરાયેલા કિનારા વિસ્તારો પર તેઓ હુમલો કરી શકે છે.