એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા દિલ્હી વિધાનસભાના ચુંટાયેલા ઉમેદવારો અંગે એક અહેવાલ બહાર પાડયો છે. આ અહેવાલમાં જણાવ્યા અનુસાર કુલ ચુંટાયેલા ૭૦ વિધાનસભ્યોમાંથી ૩૧ વિધાનસભ્યો વિરુધ ગુનાને લગતા કેસ ચાલે છે. રિપોર્ટ મુજબ આમ આદમી પાર્ટીના વિજેતા બનેલા ૬૮ ટકા ધારાસભ્યો પર અપરાધિક ગુનાઓ નોંધાયેલા છે ત્યાર પછી ભારતીય જનતા પક્ષના ૩૩ ટકા ઉમેદવારોનો પણ અપરાધિક કેટેગરીમાં સમાવેશ થાય છે.