સંસદના ચોમાસુ સત્રના શરૂઆતથી જ વિપક્ષ મણિપુર મુદ્દે સરકારને ઘેરવામાં વ્યસ્ત છે. એક તરફ જ્યાં વિપક્ષી પાર્ટીઓ સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ કરી રહી છે તો બીજી તરફ સરકાર આ મુદ્દે ચર્ચાની માંગ કરી રહી છે ત્યારે ગઈકાલે સરકારે દિલ્હી સેવા અધિકારો સંબંધિત લોકસભામાં નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી સરકાર સુધારો બિલ 2003 રજૂ કર્યું હતું. આજે પણ વિપક્ષ તરફથી લોકસભામાં હંગામો થયો છે. જેના કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.