આજે સોમવારથી સંસદના ચોમાસુ સત્રની શરૂઆત થઈ રહી છે. સત્રની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધિત કર્યું હતું. વડાપ્રધાને કહ્યું કે, વિપક્ષના લોકો આકરાથી આકરા સવાલો પુછે પરંતુ સરકારને જવાબ આપવાની તક પણ આપે જેથી સરકારનો અવાજ સામાન્ય લોકો સુધી પહોંચી શકે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું આશા રાખું છું કે દરેક લોકોને વેક્સિનનો એક ડોઝ લાગી ચુક્યો હશે. સદનના તમામ અને અન્ય લોકો કોરોના પ્રોટોકોલનું પાલન કરતા રહે. વેક્સિન બાહુ (બાજુ) પર લાગે છે અને તમે બાહુબલિ બનો છો. અત્યાર સુધીમાં 40 કરોડ કરતા વધારે લોકો કોરોના સામેની લડાઈમાં બાહુબલિ બની ચુક્યા છે.
આજે સોમવારથી સંસદના ચોમાસુ સત્રની શરૂઆત થઈ રહી છે. સત્રની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધિત કર્યું હતું. વડાપ્રધાને કહ્યું કે, વિપક્ષના લોકો આકરાથી આકરા સવાલો પુછે પરંતુ સરકારને જવાબ આપવાની તક પણ આપે જેથી સરકારનો અવાજ સામાન્ય લોકો સુધી પહોંચી શકે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું આશા રાખું છું કે દરેક લોકોને વેક્સિનનો એક ડોઝ લાગી ચુક્યો હશે. સદનના તમામ અને અન્ય લોકો કોરોના પ્રોટોકોલનું પાલન કરતા રહે. વેક્સિન બાહુ (બાજુ) પર લાગે છે અને તમે બાહુબલિ બનો છો. અત્યાર સુધીમાં 40 કરોડ કરતા વધારે લોકો કોરોના સામેની લડાઈમાં બાહુબલિ બની ચુક્યા છે.