જમ્મુ-કાશ્મીરના ઉધમપુરના સલાથિયા ચોકમાં શંકાસ્પદ બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટ બાદ સ્થાનિક લોકોમાં ભારે ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. માહિતી મળતાની સાથે જ પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને એફએસએલની ટીમ પહોંચી ગઈ છે. બ્લાસ્ટના મામલાની તપાસ કરવામાં આવી રહી છે, આખરે આ બ્લાસ્ટ કેવી રીતે થયો છે ? આ બ્લાસ્ટની તપાસ પણ આતંકવાદી એંગલથી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 13 લોકો ઘાયલ થયા છે અને એકનું મોત થયું છે.
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરના સલાથિયા ચોકમાં શંકાસ્પદ બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટ બાદ સ્થાનિક લોકોમાં ભારે ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. માહિતી મળતાની સાથે જ પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને એફએસએલની ટીમ પહોંચી ગઈ છે. બ્લાસ્ટના મામલાની તપાસ કરવામાં આવી રહી છે, આખરે આ બ્લાસ્ટ કેવી રીતે થયો છે ? આ બ્લાસ્ટની તપાસ પણ આતંકવાદી એંગલથી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 13 લોકો ઘાયલ થયા છે અને એકનું મોત થયું છે.