કોરોના સામેના જંગમાં ભારતે શુક્રવારે એક જ દિવસમાં એક કરોડ રસીના ડોઝ લગાવીને ઈતિહાસ સર્જયો છે.
પીએમ મોદીથી માંડીને વિવિધ મહાનુભાવોએ આ માટે સ્વાસ્થ્ય કર્મીને અભિનંદન આપ્યા છે તો બીજી તરફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક ડો.સૌમ્યા સ્વામીનાથને પણ ભારતને અભિનંદન આપ્યા છે.
સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, ભારતમાં પુખ્ત વયના લોકની જેટલી વસતી છે તે પૈકીના 50 ટકા લોકોને વે્કસીનનો ઓછામાં ઓછો એક ડોઝ મુકાઈ ચુકયો છે. બીજી તરફ ગઈકાલે એક કરોડ ડોઝ આપવામાં આવ્યા છે અને આ ખરેખર ઐતિહાસિક બાબત છે.તેમાં સામેલ થયેલા હજારો સ્વાસ્થ્ય કર્મીઓને અભિનંદન.
કોરોના સામેના જંગમાં ભારતે શુક્રવારે એક જ દિવસમાં એક કરોડ રસીના ડોઝ લગાવીને ઈતિહાસ સર્જયો છે.
પીએમ મોદીથી માંડીને વિવિધ મહાનુભાવોએ આ માટે સ્વાસ્થ્ય કર્મીને અભિનંદન આપ્યા છે તો બીજી તરફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક ડો.સૌમ્યા સ્વામીનાથને પણ ભારતને અભિનંદન આપ્યા છે.
સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, ભારતમાં પુખ્ત વયના લોકની જેટલી વસતી છે તે પૈકીના 50 ટકા લોકોને વે્કસીનનો ઓછામાં ઓછો એક ડોઝ મુકાઈ ચુકયો છે. બીજી તરફ ગઈકાલે એક કરોડ ડોઝ આપવામાં આવ્યા છે અને આ ખરેખર ઐતિહાસિક બાબત છે.તેમાં સામેલ થયેલા હજારો સ્વાસ્થ્ય કર્મીઓને અભિનંદન.