દેશભરમાં રેલવે મુસાફરો અને ટ્રેનોના સંચાલન દરમિયાન સતત વધતા જઈ રહેલા આતંકવાદી જોખમને જોતાં હવે રેલવેએ સુરક્ષાની દૃષ્ટિએ CORAS એટલે કે રેલવે સિક્યોરિટી કમાન્ડોની તૈનાતી શરૂ કરી છે. પ્રથમ તબક્કામાં CORASના 1200 કમાન્ડો દેશભરમાં એ વિસ્તારોમાં તૈનાત કરાશે, જ્યાં આતંકી હુમલાનું જોખમ વધુ છે.
ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના એવિસ્તારોમાં કે જ્યાં ટ્રેનોનું સંચાલન થાય છે ત્યાં, નકસલ પ્રભાવિત રાજ્યો અને પૂર્વોત્તર રાજ્યોમાંથી પસાર થતી ટ્રેનોમાં આ કમાન્ડો સુરક્ષા પ્રદાન કરવામાં મદદ કરશે. NSGની જેમ કપરી ટ્રેનિંગ પછી આ કમાન્ડોની બટાલિયનને રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા તૈનાત કરવામાં આવી રહ્યા છે.
દેશભરમાં રેલવે મુસાફરો અને ટ્રેનોના સંચાલન દરમિયાન સતત વધતા જઈ રહેલા આતંકવાદી જોખમને જોતાં હવે રેલવેએ સુરક્ષાની દૃષ્ટિએ CORAS એટલે કે રેલવે સિક્યોરિટી કમાન્ડોની તૈનાતી શરૂ કરી છે. પ્રથમ તબક્કામાં CORASના 1200 કમાન્ડો દેશભરમાં એ વિસ્તારોમાં તૈનાત કરાશે, જ્યાં આતંકી હુમલાનું જોખમ વધુ છે.
ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના એવિસ્તારોમાં કે જ્યાં ટ્રેનોનું સંચાલન થાય છે ત્યાં, નકસલ પ્રભાવિત રાજ્યો અને પૂર્વોત્તર રાજ્યોમાંથી પસાર થતી ટ્રેનોમાં આ કમાન્ડો સુરક્ષા પ્રદાન કરવામાં મદદ કરશે. NSGની જેમ કપરી ટ્રેનિંગ પછી આ કમાન્ડોની બટાલિયનને રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા તૈનાત કરવામાં આવી રહ્યા છે.