Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કાશ્મીર મૂળના અને ગુપ્તચર વિભાગથી નિવૃત્ત અધિકારીને સરકારી આવાસ ખાલી કરવાનો આદેશ આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ આવાસ સેવારત સ્ટાફ માટે છે, રિટાયર્ડ સ્ટાફને પરોપકાર કે ભેટમાં આપવા માટે નથી. 2006માં નિવૃત્ત થયા બાદ તે નાગરિક સરકારી આવાસમાં જ રહેતા હતા. તેમના કહેવા પ્રમાણે કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય ન બની જાય ત્યાં સુધી તેઓ પાછા નહીં ફરી શકે. 
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે તેમને સરકારી આવાસમાં રહેવા માટે મંજૂરી આપી હતી પરંતુ કેન્દ્રએ તે આદેશ વિરૂદ્ધ અરજી કરી દીધી હતી જેને સ્વીકારીને હાઈકોર્ટના આદેશને રદ્દ કરવામાં આવ્યો છે. જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ એએસ બોપન્નાની બેંચે કહ્યું કે, 31 ઓક્ટોબર સુધીમાં તે રિટાયર્ડ અધિકારી ફરીદાબાદ ખાતેનું સરકારી આવાસ ખાલી કરીને તેનો કબજો સરકારને સોંપે. 
 

કાશ્મીર મૂળના અને ગુપ્તચર વિભાગથી નિવૃત્ત અધિકારીને સરકારી આવાસ ખાલી કરવાનો આદેશ આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ આવાસ સેવારત સ્ટાફ માટે છે, રિટાયર્ડ સ્ટાફને પરોપકાર કે ભેટમાં આપવા માટે નથી. 2006માં નિવૃત્ત થયા બાદ તે નાગરિક સરકારી આવાસમાં જ રહેતા હતા. તેમના કહેવા પ્રમાણે કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય ન બની જાય ત્યાં સુધી તેઓ પાછા નહીં ફરી શકે. 
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે તેમને સરકારી આવાસમાં રહેવા માટે મંજૂરી આપી હતી પરંતુ કેન્દ્રએ તે આદેશ વિરૂદ્ધ અરજી કરી દીધી હતી જેને સ્વીકારીને હાઈકોર્ટના આદેશને રદ્દ કરવામાં આવ્યો છે. જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ એએસ બોપન્નાની બેંચે કહ્યું કે, 31 ઓક્ટોબર સુધીમાં તે રિટાયર્ડ અધિકારી ફરીદાબાદ ખાતેનું સરકારી આવાસ ખાલી કરીને તેનો કબજો સરકારને સોંપે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ