કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તેમના બેબાક નિવેદનો માટે હંમેશા ચર્ચામાં રહે છે ત્યારે શનિવારે તેમણે કહ્યું હતું કે લોકો જાતિવાદી નથી હોતા, પરંતુ નેતાઓ પોતાના સ્વાર્થ માટે જાતિવાદી બની જાય છે. ગડકરીએ કહ્યું કે કોણ વધુ પછાત છે તે અંગે હરિફાઈ ચાલી રહી છે. સામાજિક અસમાનતા દૂર કરવાની જરૂર છે. જાતિગત ભેદભાવનો અંત લાવવો જોઈએ. આ પ્રક્રિયા "પોતાનાથી" શરૂ કરવી જોઈએ.