ગુજરાતના ચાર મહાનગરોમાં હાલ રાત્રિ કર્ફ્યૂ છે. જેને યથાવત્ત રાખવાનો નિર્ણય લેવાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી હતી કે, રાજ્યના મહાનગરોમાં વીક એન્ડમાં દિવસે પણ કર્ફ્યૂ લાદવાના અહેવાલો કેટલાક માધ્યમોમાં ચાલી રહ્યા છે. જે તદ્દન પાયાવિહોણા છે. હાલમાં દિવસનો કર્ફ્યૂ લાદવાની કોઇ જ શક્યતા નથી.
રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગનું પણ વિચારવું પડે તેવી સ્થિતી છે. નાના લોકોના ધંધાનું પણ વિચારવાનું હોય છે માટે આવી કોઇ જ અફવામાં તમારે ના આવવું જોઇએ. રાજ્યમાં કોરોનાની વિપરિત થઇ રહેલી સ્થિતીને જોતા સરકાર અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ અને સુરતમાં શનિ-રવિમાં દિવસનો કર્ફ્યૂ લાદવા અંગે વિચારણા ચાલી રહી હોવાની વાત તદ્દન પાયાવિહોણી છે.
ગુજરાતના ચાર મહાનગરોમાં હાલ રાત્રિ કર્ફ્યૂ છે. જેને યથાવત્ત રાખવાનો નિર્ણય લેવાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી હતી કે, રાજ્યના મહાનગરોમાં વીક એન્ડમાં દિવસે પણ કર્ફ્યૂ લાદવાના અહેવાલો કેટલાક માધ્યમોમાં ચાલી રહ્યા છે. જે તદ્દન પાયાવિહોણા છે. હાલમાં દિવસનો કર્ફ્યૂ લાદવાની કોઇ જ શક્યતા નથી.
રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગનું પણ વિચારવું પડે તેવી સ્થિતી છે. નાના લોકોના ધંધાનું પણ વિચારવાનું હોય છે માટે આવી કોઇ જ અફવામાં તમારે ના આવવું જોઇએ. રાજ્યમાં કોરોનાની વિપરિત થઇ રહેલી સ્થિતીને જોતા સરકાર અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ અને સુરતમાં શનિ-રવિમાં દિવસનો કર્ફ્યૂ લાદવા અંગે વિચારણા ચાલી રહી હોવાની વાત તદ્દન પાયાવિહોણી છે.