વર્તમાન અને પૂર્વ સાંસદો વિરૂદ્ધના ક્રિમિનલ કેસોના નિકાલ માટેની પ્રક્રિયામાં કોઇ ખાસ સુધારો જોવા મળ્યો નથી તેમ સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું. સુપ્રીમે આજે હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓને આ કેસોના નિકાલ માટે વિશેષ કોર્ટોની રચના કરવા માટેનો એકશન પ્લાન રજૂ કરવાના નિર્દેશ આપ્યા છે.
ેસુપ્રીમ કોર્ટ ઇચ્છે છે કે સાંસદો વિરૂદ્ધના ક્રિમિનલ કેસોનો ઝડપી નિકાલ કરવામાં આવે. ન્યાયમૂર્તિ એન વી રમાણાના નેતૃત્ત્વવાળી ખંડપીઠે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા વારંવાર આ મુદ્દે નિર્દેશ આપવામાં આવ્યા હોવા છતાં આવા કેસોના નિકાલમાં ેખાસ કોઇ પ્રગતિ જોવા મળી નથી.
વર્તમાન અને પૂર્વ સાંસદો વિરૂદ્ધના ક્રિમિનલ કેસોના નિકાલ માટેની પ્રક્રિયામાં કોઇ ખાસ સુધારો જોવા મળ્યો નથી તેમ સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું. સુપ્રીમે આજે હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓને આ કેસોના નિકાલ માટે વિશેષ કોર્ટોની રચના કરવા માટેનો એકશન પ્લાન રજૂ કરવાના નિર્દેશ આપ્યા છે.
ેસુપ્રીમ કોર્ટ ઇચ્છે છે કે સાંસદો વિરૂદ્ધના ક્રિમિનલ કેસોનો ઝડપી નિકાલ કરવામાં આવે. ન્યાયમૂર્તિ એન વી રમાણાના નેતૃત્ત્વવાળી ખંડપીઠે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા વારંવાર આ મુદ્દે નિર્દેશ આપવામાં આવ્યા હોવા છતાં આવા કેસોના નિકાલમાં ેખાસ કોઇ પ્રગતિ જોવા મળી નથી.