Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પોતાના અમેરિકી પ્રવાસના અંતિમ દિવસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ને સંબોધિત કરી હતી. વડાપ્રધાનના આ સંબોધનને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ દેશને ગૌરવાન્વિત કરનારૂં ગણાવ્યું હતું ત્યારે કોંગ્રેસી નેતા પી. ચિદંબરમે તેને લઈ કટાક્ષ કર્યો છે. કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલે પણ પીએમ મોદીના નિવેદનના બહાને યુપી અને આસામના મુખ્યમંત્રીને ઘેર્યા છે. 
કોંગ્રેસી નેતા અને રાજ્યસભા સાંસદ પી. ચિદંબરમે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીના સંબોધન દરમિયાન કેટલીક સીટો જ ભરાયેલી હતી. વડાપ્રધાન મોદીના સંબોધન બાદ કોઈએ તાળી પણ નહોતી વગાડી. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, 'જ્યારે વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી ત્યારે મને ખૂબ જ નિરાશા થઈ કે, થોડીક બેઠકો જ ભરેલી હતી. તેનાથી પણ વધારે નિરાશા ત્યારે થઈ જ્યારે કોઈએ તાળી પણ ન વગાડી. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું સ્થાયી મિશન ગરબડાઈ ગયું છે.' 
 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પોતાના અમેરિકી પ્રવાસના અંતિમ દિવસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ને સંબોધિત કરી હતી. વડાપ્રધાનના આ સંબોધનને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ દેશને ગૌરવાન્વિત કરનારૂં ગણાવ્યું હતું ત્યારે કોંગ્રેસી નેતા પી. ચિદંબરમે તેને લઈ કટાક્ષ કર્યો છે. કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલે પણ પીએમ મોદીના નિવેદનના બહાને યુપી અને આસામના મુખ્યમંત્રીને ઘેર્યા છે. 
કોંગ્રેસી નેતા અને રાજ્યસભા સાંસદ પી. ચિદંબરમે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીના સંબોધન દરમિયાન કેટલીક સીટો જ ભરાયેલી હતી. વડાપ્રધાન મોદીના સંબોધન બાદ કોઈએ તાળી પણ નહોતી વગાડી. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, 'જ્યારે વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી ત્યારે મને ખૂબ જ નિરાશા થઈ કે, થોડીક બેઠકો જ ભરેલી હતી. તેનાથી પણ વધારે નિરાશા ત્યારે થઈ જ્યારે કોઈએ તાળી પણ ન વગાડી. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું સ્થાયી મિશન ગરબડાઈ ગયું છે.' 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ