સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓન મેરેજ) એક્ટ ૨૦૧૯ એટલે કે ટ્રિપલ તલાકના કાયદા અંતર્ગત આચરાયેલા અપરાધ માટે આગોતરા જામીન આપવા પર કોઈ પ્રકારની રોક નથી. ભારતમાં હવે મુસ્લિમો માટે ટ્રિપલ તલાક દ્વારા છૂટાછેડા સજાપાત્ર અપરાધ છે. જો કે આગોતરા જામીન આપતાં પહેલાં અદાલતે પીડિત મહિલાની રજૂઆત સાંભળવી પડશે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, કાયદાની જોગવાઈઓ અંતર્ગત પોતાની પત્નીને ટ્રિપલ તલાક દ્વારા છૂટાછેડા આપનારા મુસ્લિમ પતિને ૩ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓન મેરેજ) એક્ટ ૨૦૧૯ એટલે કે ટ્રિપલ તલાકના કાયદા અંતર્ગત આચરાયેલા અપરાધ માટે આગોતરા જામીન આપવા પર કોઈ પ્રકારની રોક નથી. ભારતમાં હવે મુસ્લિમો માટે ટ્રિપલ તલાક દ્વારા છૂટાછેડા સજાપાત્ર અપરાધ છે. જો કે આગોતરા જામીન આપતાં પહેલાં અદાલતે પીડિત મહિલાની રજૂઆત સાંભળવી પડશે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, કાયદાની જોગવાઈઓ અંતર્ગત પોતાની પત્નીને ટ્રિપલ તલાક દ્વારા છૂટાછેડા આપનારા મુસ્લિમ પતિને ૩ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.