Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા દાખલ આરોપ પત્ર મુજબ, જૈશ-એ-મોહમ્મદનો પ્રમુખ મસૂદ અઝહરનો મોહમ્મદ ઉમર ફારૂક જેણે 14 ફેબ્રુઆરી, 2019ના રોજ પુલાવામામાં હુમલો કર્યો હતો તે બીબીસીના પત્રકારોની એક ટીમને નિશાનો બનાવવા માગતો હતો. આત્મઘાતી હુમલાખોર તે પત્રકારો પર હુમલો કરવા માગતો હતો જે આદિલ એહમદ ડારના ઘરે તેના પિતા ગુલામ હસન ડારનો ઈન્ટરવ્યુ કરવા ગયા હતા. 

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ઉમર ફારૂક અને પાકિસ્તાનમાં સ્થિતિ તેના કાકા અમ્માર અલ્વીની વચ્ચે 21 ફેબ્રુઆરી 2019ના રોજ થયેલી વાતચીતને ટાંકીને જણાવ્યું કે, ફારૂક તેના કાકા સાથે મળીને ખીણમાં હાજર બીબીસીના પત્રકારોને નિશાનો બનાવવા માગતા હતા. તેને લાગતું હતું કે આવું કરવાથી જૈશ આંતરરાષ્ટ્રીય સ્તર પર ધ્યાન આકર્ષિત કરશે. આ વાતને સુનિશ્ચિત કરવા માટે એનઆઈએએ બંને વચ્ચે થયેલી વાતચીતને સાંભળી છે જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ત્યારે પત્રકારો ત્યાં હાજર હતા કે નહીં. 

ચાર્જશીટ મુજબ, અલ્વીએ ફારૂકને પુલવામા હુમલાની સફળતાની ઉજવણી કરવા માટે કહ્યું અને પત્રકારો પર હુમલો કરવાની મંજૂરી આપવાથી ઈનકાર કરી દીધો. ચાર્જશીટમાં પત્રકારોને નામ આપવામાં આવ્યા નથી. ચાર્જશીટમાં 46 વર્ષના અલ્વીનું નામ પુલવામા હુમલાના મુખ્ય હેન્ડલર તરીકે લખવામાં આવ્યું છે. આ સાથે જ ફારૂક, અઝહર, અબ્દુલ રૂફ અસગર અને 15 અન્ય લોકોના નામ પણ લખવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા દાખલ આરોપ પત્ર મુજબ, જૈશ-એ-મોહમ્મદનો પ્રમુખ મસૂદ અઝહરનો મોહમ્મદ ઉમર ફારૂક જેણે 14 ફેબ્રુઆરી, 2019ના રોજ પુલાવામામાં હુમલો કર્યો હતો તે બીબીસીના પત્રકારોની એક ટીમને નિશાનો બનાવવા માગતો હતો. આત્મઘાતી હુમલાખોર તે પત્રકારો પર હુમલો કરવા માગતો હતો જે આદિલ એહમદ ડારના ઘરે તેના પિતા ગુલામ હસન ડારનો ઈન્ટરવ્યુ કરવા ગયા હતા. 

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ઉમર ફારૂક અને પાકિસ્તાનમાં સ્થિતિ તેના કાકા અમ્માર અલ્વીની વચ્ચે 21 ફેબ્રુઆરી 2019ના રોજ થયેલી વાતચીતને ટાંકીને જણાવ્યું કે, ફારૂક તેના કાકા સાથે મળીને ખીણમાં હાજર બીબીસીના પત્રકારોને નિશાનો બનાવવા માગતા હતા. તેને લાગતું હતું કે આવું કરવાથી જૈશ આંતરરાષ્ટ્રીય સ્તર પર ધ્યાન આકર્ષિત કરશે. આ વાતને સુનિશ્ચિત કરવા માટે એનઆઈએએ બંને વચ્ચે થયેલી વાતચીતને સાંભળી છે જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ત્યારે પત્રકારો ત્યાં હાજર હતા કે નહીં. 

ચાર્જશીટ મુજબ, અલ્વીએ ફારૂકને પુલવામા હુમલાની સફળતાની ઉજવણી કરવા માટે કહ્યું અને પત્રકારો પર હુમલો કરવાની મંજૂરી આપવાથી ઈનકાર કરી દીધો. ચાર્જશીટમાં પત્રકારોને નામ આપવામાં આવ્યા નથી. ચાર્જશીટમાં 46 વર્ષના અલ્વીનું નામ પુલવામા હુમલાના મુખ્ય હેન્ડલર તરીકે લખવામાં આવ્યું છે. આ સાથે જ ફારૂક, અઝહર, અબ્દુલ રૂફ અસગર અને 15 અન્ય લોકોના નામ પણ લખવામાં આવ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ