Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસને લઈને અનેક દાવા અને અનેક રિસર્ચ કરવામાં આવ્યું છે જ્યારે અભ્યાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. કોરોના વાયરસનો ચેપ લાગ્યા ત્યાર બાદ કોરોનાના લક્ષણો વરતાવાનો સમયગાળો પાંચ દિવસ નહીં પરંતુ અંદાજે 8 દિવસ લાંબો હોઈ શકે છે તેમ એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે.

ચીનની પેકિંગ યુનિવર્સિટીના વિજ્ઞાનીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના લક્ષણો ચેપ લાગ્યાના 5 દિવસમાં કોરોનાની અસર જોવા મળે છે તેવો વર્તમાન અંદાજ મર્યાદિત ડેટા અને નાની સંખ્યાના સેમ્પલ સાઈઝ પર આધારિત હતો. જ્યારે હાલના અભ્યાસમાં કોરોનાના 1084 દર્દીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો જે તમામ વુહાનના રહેવાસી છે અને તેમની પ્રવાસની વિગતો પ્રાપ્ય છે.

નવા અભ્યાસમાં કોરોનાને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. સાયન્સ એડવાન્સીસ નામના જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવ્યું હતું કે, જે જગ્યાએથી કોરોના વાયરલ ફેલાય તે વુહાનમાંથી રવાના થયેલા લોકોની ઓળખ કરીને તેમનામાં કોરોનાના લક્ષણો દેખાવાના શરૂ થયા ત્યાં સુધી તેની પર બાજ નજર રાખવામાં આવી હતી.

કોરોનાના ચેપને લઈને એક અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં ખુલાસો થયો હતો કે, કોરોનાનો ચેપના લક્ષણો વર્તાવાનો અંદાજીત 8 દિવસ જણાયો છે જ્યારે 10 ટકા દર્દીઓમાં આ સમયગાળો 15 દિવસનો જણાયો હતો. આ તારણોને આધારે આરોગ્યા વિભાગના કર્મચારીઓ 14 દિવસના ક્વોરોન્ટાઈન માટેનો આગ્રહ રાખે છે.

કોરોના વાયરસને લઈને અનેક દાવા અને અનેક રિસર્ચ કરવામાં આવ્યું છે જ્યારે અભ્યાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. કોરોના વાયરસનો ચેપ લાગ્યા ત્યાર બાદ કોરોનાના લક્ષણો વરતાવાનો સમયગાળો પાંચ દિવસ નહીં પરંતુ અંદાજે 8 દિવસ લાંબો હોઈ શકે છે તેમ એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે.

ચીનની પેકિંગ યુનિવર્સિટીના વિજ્ઞાનીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના લક્ષણો ચેપ લાગ્યાના 5 દિવસમાં કોરોનાની અસર જોવા મળે છે તેવો વર્તમાન અંદાજ મર્યાદિત ડેટા અને નાની સંખ્યાના સેમ્પલ સાઈઝ પર આધારિત હતો. જ્યારે હાલના અભ્યાસમાં કોરોનાના 1084 દર્દીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો જે તમામ વુહાનના રહેવાસી છે અને તેમની પ્રવાસની વિગતો પ્રાપ્ય છે.

નવા અભ્યાસમાં કોરોનાને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. સાયન્સ એડવાન્સીસ નામના જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવ્યું હતું કે, જે જગ્યાએથી કોરોના વાયરલ ફેલાય તે વુહાનમાંથી રવાના થયેલા લોકોની ઓળખ કરીને તેમનામાં કોરોનાના લક્ષણો દેખાવાના શરૂ થયા ત્યાં સુધી તેની પર બાજ નજર રાખવામાં આવી હતી.

કોરોનાના ચેપને લઈને એક અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં ખુલાસો થયો હતો કે, કોરોનાનો ચેપના લક્ષણો વર્તાવાનો અંદાજીત 8 દિવસ જણાયો છે જ્યારે 10 ટકા દર્દીઓમાં આ સમયગાળો 15 દિવસનો જણાયો હતો. આ તારણોને આધારે આરોગ્યા વિભાગના કર્મચારીઓ 14 દિવસના ક્વોરોન્ટાઈન માટેનો આગ્રહ રાખે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ