દેશમાં વધતા કોરોના સંક્રમણના (Coronavirus) કહેરની વચ્ચે ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં આજે એટલે 13મી સપ્ટેમ્બરે મેડિકલ પ્રવેશ માટેની નીટની (National Eligibility Cum Entrance Test- NEET) પરીક્ષા લેવામાં આવશે. ગુજરાતમાંથી 80 હજારથી વધુ વિદ્યાર્થી સહિત દેશ ભરમાં 15.90 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. નીટ પરીક્ષા કોરોનાને લઈને ચાર મહિના મોડી યોજાઈ રહી છે. આ પરીક્ષા માટે સોશિયલ ડિસ્ટન્સિંગના (Social Distancing) પાલન સહિતના સુરક્ષાના માપદંડોના પાલનની પૂરી તૈયારી કરવામાં આવી છે. દેશભરમાં પરીક્ષા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ માટે કુલ પરીક્ષા કેન્દ્રો 2,546થી વધારીને 3,843 કરી દેવાયાં છે જેના કારણે વિદ્યાર્થીઓ વચ્ચે થોડુ અંતર રહે. બપોરે 2થી 5 દરમિયાન યોજાનારી નીટ માટે પરીક્ષાના 3 કલાક પહેલાં પ્રવેશ અપાશે.
ગુજરાતમાં 10 શહરોમાં કેન્દ્રો
ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, પંચમહાલ, આણંદ, ગાંધીનગર, પાટણ અને વલસાડ સહિતના 10 શહેરોના 215થી વધુ કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે. કોરોનાને કારણે એનટીએ દ્વારા સેન્ટરોની સંખ્યા વધારવામા પણ આવી છે. નીટ પરીક્ષા પેપર પેન્સિલ મોડમાં છે અને વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘણી વધી છે. ગુજરાતમાંથી 80,219 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા છે. આ પરીક્ષાના આધારે જ મેડિકલમાં પ્રવેશ થાય તેમ હોવાથી તમામ વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા આપવી ફરજીયાત છે.
દેશમાં વધતા કોરોના સંક્રમણના (Coronavirus) કહેરની વચ્ચે ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં આજે એટલે 13મી સપ્ટેમ્બરે મેડિકલ પ્રવેશ માટેની નીટની (National Eligibility Cum Entrance Test- NEET) પરીક્ષા લેવામાં આવશે. ગુજરાતમાંથી 80 હજારથી વધુ વિદ્યાર્થી સહિત દેશ ભરમાં 15.90 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. નીટ પરીક્ષા કોરોનાને લઈને ચાર મહિના મોડી યોજાઈ રહી છે. આ પરીક્ષા માટે સોશિયલ ડિસ્ટન્સિંગના (Social Distancing) પાલન સહિતના સુરક્ષાના માપદંડોના પાલનની પૂરી તૈયારી કરવામાં આવી છે. દેશભરમાં પરીક્ષા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ માટે કુલ પરીક્ષા કેન્દ્રો 2,546થી વધારીને 3,843 કરી દેવાયાં છે જેના કારણે વિદ્યાર્થીઓ વચ્ચે થોડુ અંતર રહે. બપોરે 2થી 5 દરમિયાન યોજાનારી નીટ માટે પરીક્ષાના 3 કલાક પહેલાં પ્રવેશ અપાશે.
ગુજરાતમાં 10 શહરોમાં કેન્દ્રો
ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, પંચમહાલ, આણંદ, ગાંધીનગર, પાટણ અને વલસાડ સહિતના 10 શહેરોના 215થી વધુ કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે. કોરોનાને કારણે એનટીએ દ્વારા સેન્ટરોની સંખ્યા વધારવામા પણ આવી છે. નીટ પરીક્ષા પેપર પેન્સિલ મોડમાં છે અને વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘણી વધી છે. ગુજરાતમાંથી 80,219 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા છે. આ પરીક્ષાના આધારે જ મેડિકલમાં પ્રવેશ થાય તેમ હોવાથી તમામ વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા આપવી ફરજીયાત છે.