છત્તીસગઢના બીજાપુરમાં નકસલવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલી અથડામણ બાદ સીઆરપીએફનો એક જવાન લાપતા બન્યો હતો.આ જવાન નક્સલીઓના કબ્જામાં હોવાનુ કહેવાય છે અને હવે આ શંકા વધારે મજબૂત બની છે.
કારણકે નક્સલીઓએ લાપતા જવાનની સોશિયલ મીડિયા પર એક તસવીર અપલોડ કરી છે. આ જવાનને પાછો લાવવા માટે સુરક્ષાદળો યોગ્ય કાર્યવાહી કરી રહ્યા છે. લાપતા જવાનની તસવીર રિલિઝ થઈ તે પહેલા બીજાપુરના એક પત્રકારે દાવો કર્યો હતો કે, નક્સલીઓએ બે વખત મને ફોન કર્યો હતો.
છત્તીસગઢના બીજાપુરમાં નકસલવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલી અથડામણ બાદ સીઆરપીએફનો એક જવાન લાપતા બન્યો હતો.આ જવાન નક્સલીઓના કબ્જામાં હોવાનુ કહેવાય છે અને હવે આ શંકા વધારે મજબૂત બની છે.
કારણકે નક્સલીઓએ લાપતા જવાનની સોશિયલ મીડિયા પર એક તસવીર અપલોડ કરી છે. આ જવાનને પાછો લાવવા માટે સુરક્ષાદળો યોગ્ય કાર્યવાહી કરી રહ્યા છે. લાપતા જવાનની તસવીર રિલિઝ થઈ તે પહેલા બીજાપુરના એક પત્રકારે દાવો કર્યો હતો કે, નક્સલીઓએ બે વખત મને ફોન કર્યો હતો.