કેન્દ્ર સરકાર દ્વારા ઘડાયેલા ૩ કૃષિ કાયદાના વિરોધમાં રવિવારે ૧૮મા દિવસે દિલ્હી, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં ખેડૂતોના દેખાવો જારી રહ્યા હતા. આંદોલનને ઉગ્ર બનાવતાં ખેડૂતોએ ૧૪મી ડિસેમ્બરના સોમવારે દેશવ્યાપી ધરણાં કરવાની જાહેરાત કરી હતી. ખેડૂતો સોમવારે દરેક જિલ્લા મથક ખાતે કલેક્ટર કચેરીઓ સામે આંદોલન કરશે અને ભાજપના નેતાઓનો ઘેરાવ કરશે. સિંધુ બોર્ડર ખાતે ખેડૂત નેતા ગુરનામસિંહ ચડુનીએ જણાવ્યું હતું કે, સોમવારે દેશના દરેક જિલ્લાના મુખ્યમથકો ખાતે ખેડૂતો દ્વારા ધરણા કરાશે. છૈંદ્બજીઝ્રઝ્રના જણાવ્યા અનુસાર અમે તમામ ખેડૂત સંગઠનોને દરેક રાજ્યની રાજધાની અને તમામ જિલ્લા મથકો ખાતે સાથે મળીને જાહેરમાં વિરોધ પ્રદર્શન કરવાની અપીલ કરીએ છીએ. તે ઉપરાંત દિલ્હીની તમામ સરહદ પર આંદોલન કરી રહેલાં ખેડૂત સંગઠનોના નેતાઓ સવારના ૮થી સાંજના પાંચ સુધી ભૂખ હડતાળમાં જોડાશે.
કેન્દ્ર સરકાર દ્વારા ઘડાયેલા ૩ કૃષિ કાયદાના વિરોધમાં રવિવારે ૧૮મા દિવસે દિલ્હી, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં ખેડૂતોના દેખાવો જારી રહ્યા હતા. આંદોલનને ઉગ્ર બનાવતાં ખેડૂતોએ ૧૪મી ડિસેમ્બરના સોમવારે દેશવ્યાપી ધરણાં કરવાની જાહેરાત કરી હતી. ખેડૂતો સોમવારે દરેક જિલ્લા મથક ખાતે કલેક્ટર કચેરીઓ સામે આંદોલન કરશે અને ભાજપના નેતાઓનો ઘેરાવ કરશે. સિંધુ બોર્ડર ખાતે ખેડૂત નેતા ગુરનામસિંહ ચડુનીએ જણાવ્યું હતું કે, સોમવારે દેશના દરેક જિલ્લાના મુખ્યમથકો ખાતે ખેડૂતો દ્વારા ધરણા કરાશે. છૈંદ્બજીઝ્રઝ્રના જણાવ્યા અનુસાર અમે તમામ ખેડૂત સંગઠનોને દરેક રાજ્યની રાજધાની અને તમામ જિલ્લા મથકો ખાતે સાથે મળીને જાહેરમાં વિરોધ પ્રદર્શન કરવાની અપીલ કરીએ છીએ. તે ઉપરાંત દિલ્હીની તમામ સરહદ પર આંદોલન કરી રહેલાં ખેડૂત સંગઠનોના નેતાઓ સવારના ૮થી સાંજના પાંચ સુધી ભૂખ હડતાળમાં જોડાશે.