જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીએ તૈયાર કરેલું સ્તુતિ કેદાર રાગમાં ગીત રચરવામાં આવ્યું. નરસૈયાને આ રાગ પસંદ હતો. યુનિવર્સિટીએ સ્તુતિ ગીત માટે એન્ટ્રી મંગાવેલી જેમાં ડો.જયેન્દ્ર શેખડીવાળાની કૃતિ પસંદ પામી. સ્તુતિ ગીતમાં સંગીત નયન વૈશ્નવ આપશે, જ્યારે કંઠ ઐશ્વર્યા મઝમુદાર આપશે. આ સ્તુતિ ગીતનું વિમોચન મોરારિબાપુના હસ્તે 19 જૂને થશે.