મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખને આજે સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી કોર્ટે તેમને 14 દિવસની જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. જોકે ઈડી દ્વારા કસ્ટડીની માગ કરવામાં આવી હતી.
મની લોન્ડ્રિંગ કેસમાં પ્રવર્તન નિદેશાલય (ઈડી) દ્વારા અનિલ દેશમુખની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ 6 નવેમ્બર સુધી દેશમુખને ઈડીની કસ્ટડીમાં મોકલવામાં આવેલ. શનિવારે દેશમુખને સ્પેશિયલ હોલિડે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. સુનાવણી દરમિયાન ઈડીએ તેમની કસ્ટડી માગી હતી પરંતુ કોર્ટે મનાઈ કરી દીધી હતી અને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય સંભળાવ્યો હતો.
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખને આજે સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી કોર્ટે તેમને 14 દિવસની જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. જોકે ઈડી દ્વારા કસ્ટડીની માગ કરવામાં આવી હતી.
મની લોન્ડ્રિંગ કેસમાં પ્રવર્તન નિદેશાલય (ઈડી) દ્વારા અનિલ દેશમુખની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ 6 નવેમ્બર સુધી દેશમુખને ઈડીની કસ્ટડીમાં મોકલવામાં આવેલ. શનિવારે દેશમુખને સ્પેશિયલ હોલિડે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. સુનાવણી દરમિયાન ઈડીએ તેમની કસ્ટડી માગી હતી પરંતુ કોર્ટે મનાઈ કરી દીધી હતી અને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય સંભળાવ્યો હતો.