ભારતમાં કોરોનાના કેસ દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યાં છે. અહીં છેલ્લા 24 કલાકમાં 49,931 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અગાઉ ક્યારેય પણ એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં કેસ નથી નોંધાયા. જ્યારે એક જ દિવસમાં વધુ 708 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, નવા કેસ ઉમેરાવાની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 14,35,453 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધી કુલ 32,771 કોરોના સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ સાથે જ દેશમાં અત્યાર સુધી 8,85,576 દર્દીઓ કોરોનાની સારવાર મેળવ્યા બાદ સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જ્યારે હાલ દેશમાં કોરોનાના 9,17,568 એક્ટિવ કેસો છે.
ભારતમાં કોરોનાના કેસ દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યાં છે. અહીં છેલ્લા 24 કલાકમાં 49,931 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અગાઉ ક્યારેય પણ એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં કેસ નથી નોંધાયા. જ્યારે એક જ દિવસમાં વધુ 708 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, નવા કેસ ઉમેરાવાની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 14,35,453 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધી કુલ 32,771 કોરોના સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ સાથે જ દેશમાં અત્યાર સુધી 8,85,576 દર્દીઓ કોરોનાની સારવાર મેળવ્યા બાદ સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જ્યારે હાલ દેશમાં કોરોનાના 9,17,568 એક્ટિવ કેસો છે.