ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના નવા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશભરમાં કોરોના વાયરસના દર્દીઓનો આંકડો 26 હજારને પાર પહોંચી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસોમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો છે અને 1990 નવા કેસો સામે આવ્યા છે, જ્યારે 49 લોકોના મોત થયા છે.
રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 26496 થઈ ગઈ છે, જ્યારે આ જીવલેણ મહામારીથી 824 લોકો મોતને ભેટ્યા છે.
દેશમાં હાલમાં કોરોના વાયરસના કુલ 26496 કેસોમાંથી 19868 એક્ટિવ કેસો છે. આ ઉપરાંત 5803 લોકો સંપૂર્ણ સ્વસ્થ થઈ ચૂક્યા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના નવા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશભરમાં કોરોના વાયરસના દર્દીઓનો આંકડો 26 હજારને પાર પહોંચી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસોમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો છે અને 1990 નવા કેસો સામે આવ્યા છે, જ્યારે 49 લોકોના મોત થયા છે.
રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 26496 થઈ ગઈ છે, જ્યારે આ જીવલેણ મહામારીથી 824 લોકો મોતને ભેટ્યા છે.
દેશમાં હાલમાં કોરોના વાયરસના કુલ 26496 કેસોમાંથી 19868 એક્ટિવ કેસો છે. આ ઉપરાંત 5803 લોકો સંપૂર્ણ સ્વસ્થ થઈ ચૂક્યા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.