પાકિસ્તાનના સ્વાતંત્ર્ય દિવસે વડા પ્રધાન ઇમરાનખાન પાક.ના કબજા હેઠળના કાશ્મીરની વિધાનસભામાં પહોંચ્યા હતા. ગૃહને સંબોધતાંઇમરાનખાને કહ્યું હતું કે, ‘કાશ્મીરને મુદ્દે વડા પ્રધાન મોદી અને ભાજપની હકીકતને મેં વિશ્વ સમક્ષ મૂકી છે. તેઓ માત્ર કાશ્મીર સુધી અટકવાના નથી. મને અહેવાલ મળ્યા છે કે તેઓ પીઓકેમાં પણ આવી શકે છે. તેઓ પીઓકેમાં સૈન્ય પગલાં લેવાની તૈયારી કરી રહ્યાં છે. આપણી સેના તૈયાર છે અને કાંઈ પણ ઘટશે તો જવાબ આપવામાં આવશે. ઇંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાશે તો વિશ્વ તેને માટે જવાબદાર રહેશે, સંયુક્ત રાષ્ટ્ર જવાબદાર રહેશે.’
પાકિસ્તાનના સ્વાતંત્ર્ય દિવસે વડા પ્રધાન ઇમરાનખાન પાક.ના કબજા હેઠળના કાશ્મીરની વિધાનસભામાં પહોંચ્યા હતા. ગૃહને સંબોધતાંઇમરાનખાને કહ્યું હતું કે, ‘કાશ્મીરને મુદ્દે વડા પ્રધાન મોદી અને ભાજપની હકીકતને મેં વિશ્વ સમક્ષ મૂકી છે. તેઓ માત્ર કાશ્મીર સુધી અટકવાના નથી. મને અહેવાલ મળ્યા છે કે તેઓ પીઓકેમાં પણ આવી શકે છે. તેઓ પીઓકેમાં સૈન્ય પગલાં લેવાની તૈયારી કરી રહ્યાં છે. આપણી સેના તૈયાર છે અને કાંઈ પણ ઘટશે તો જવાબ આપવામાં આવશે. ઇંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાશે તો વિશ્વ તેને માટે જવાબદાર રહેશે, સંયુક્ત રાષ્ટ્ર જવાબદાર રહેશે.’