દિલ્હી સરહદ પર ઉગ્ર આંદોલન કરીને સરકાર સામે મોરચો માંડનારા ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ પણ પહેલા જ દિવસથી ઉતરી ચુકેલા છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી નવા કૃષિ કાયદાને લઈને મોદી સરકારને સતત ઘેરી રહ્યા છે.હવે રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પર કહ્યુ છે કે, મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કર્યો હતો પણ ખેડૂતોની જગ્યાએ આ સરકારે અંબાણી અને અદાણીની આવક બમણી કરી આપી છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, જે સરકાર કાળા કૃષિ કાયદાને અત્યાર સુધી યોગ્ય બતાવતી આવી છે તે ખેડૂતોના પક્ષમાં આ સમસ્યાનુ સમાધાન કરશે તેવી આશા રાખવી નકામી છે પણ આ દેશમાં હવે ખેડૂતોની વાત થશે.
દિલ્હી સરહદ પર ઉગ્ર આંદોલન કરીને સરકાર સામે મોરચો માંડનારા ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ પણ પહેલા જ દિવસથી ઉતરી ચુકેલા છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી નવા કૃષિ કાયદાને લઈને મોદી સરકારને સતત ઘેરી રહ્યા છે.હવે રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પર કહ્યુ છે કે, મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કર્યો હતો પણ ખેડૂતોની જગ્યાએ આ સરકારે અંબાણી અને અદાણીની આવક બમણી કરી આપી છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, જે સરકાર કાળા કૃષિ કાયદાને અત્યાર સુધી યોગ્ય બતાવતી આવી છે તે ખેડૂતોના પક્ષમાં આ સમસ્યાનુ સમાધાન કરશે તેવી આશા રાખવી નકામી છે પણ આ દેશમાં હવે ખેડૂતોની વાત થશે.