પાકિસ્તાનના સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી ચૌધરી ફવાદ હુસેને PM મોદીને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં હરાવવાની અપીલ કરતુ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતું. ફવાદે કહ્યુ હતુ કે, ભારતના લોકોએ મોદી મેડનેસને હરાવવી પડશે. વધુ એક ચૂંટણી હારવાના દબાણ હેઠળ PM મોદી હવે ધમકી આપવાની ભાષા બોલી રહ્યા છે. તેમણે કાશ્મીર મુદ્દે તેમજ CAA મુદ્દે દુનિયાએ આપેલી પ્રતિક્રિયા બાદ સંતુલન ગુમાવી દીધુ છે.
ટ્વિટર પર આ નિવેદન સામે લોકોના આકરા પ્રત્યાઘાત જોઈને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ફવાદ ચૌધરીને જવાબ આપતા કહ્યુ હતુ કે, મોદીજી ભારતના અને મારા પણ PM છે. દિલ્હીની ચૂંટણી ભારતનો આંતરિક મામલો છે અને આંતકવાદના સૌથી મોટા પ્રાયોજકો તેમાં દખલગીરી કરે તે સહન નહી થાય. પાકિસ્તાન ગમે તે કરે પણ દેશની એકતા પર પ્રહાર નહી થાય.
પાકિસ્તાનના સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી ચૌધરી ફવાદ હુસેને PM મોદીને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં હરાવવાની અપીલ કરતુ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતું. ફવાદે કહ્યુ હતુ કે, ભારતના લોકોએ મોદી મેડનેસને હરાવવી પડશે. વધુ એક ચૂંટણી હારવાના દબાણ હેઠળ PM મોદી હવે ધમકી આપવાની ભાષા બોલી રહ્યા છે. તેમણે કાશ્મીર મુદ્દે તેમજ CAA મુદ્દે દુનિયાએ આપેલી પ્રતિક્રિયા બાદ સંતુલન ગુમાવી દીધુ છે.
ટ્વિટર પર આ નિવેદન સામે લોકોના આકરા પ્રત્યાઘાત જોઈને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ફવાદ ચૌધરીને જવાબ આપતા કહ્યુ હતુ કે, મોદીજી ભારતના અને મારા પણ PM છે. દિલ્હીની ચૂંટણી ભારતનો આંતરિક મામલો છે અને આંતકવાદના સૌથી મોટા પ્રાયોજકો તેમાં દખલગીરી કરે તે સહન નહી થાય. પાકિસ્તાન ગમે તે કરે પણ દેશની એકતા પર પ્રહાર નહી થાય.