માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે આવેલા શ્રદ્ધાળુઓમાં ભાગદોડ મચવાના કારણે ભારે મોટી દુર્ઘટના બની હતી અને ત્યાર બાદ ઘટના સ્થળે તે સ્થળે ઘણાં સમય સુધી અફરાતફરી મચેલી રહી હતી. ઘટના સ્થળે પહોંચેલા પ્રશાસનિક અધિકારીઓ અને શ્રાઈન બોર્ડના લોકોએ ઘાયલોને બાણગંગા હોસ્પિટલ પહોંચાડ્યા હતા જ્યારે ગંભીર રીતે ઘાયલ હોય તેવા લોકોને અન્ય જગ્યાએ મોકલવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટના બાદ અધિકારીઓએ થોડા કલાકો માટે યાત્રા સ્થગિત કરી દીધી હતી પરંતુ શનિવારે સવારે 8:00 વાગ્યાથી યાત્રા ફરી શરૂ કરી દેવામાં આવી છે અને ફરી શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે.
માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે આવેલા શ્રદ્ધાળુઓમાં ભાગદોડ મચવાના કારણે ભારે મોટી દુર્ઘટના બની હતી અને ત્યાર બાદ ઘટના સ્થળે તે સ્થળે ઘણાં સમય સુધી અફરાતફરી મચેલી રહી હતી. ઘટના સ્થળે પહોંચેલા પ્રશાસનિક અધિકારીઓ અને શ્રાઈન બોર્ડના લોકોએ ઘાયલોને બાણગંગા હોસ્પિટલ પહોંચાડ્યા હતા જ્યારે ગંભીર રીતે ઘાયલ હોય તેવા લોકોને અન્ય જગ્યાએ મોકલવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટના બાદ અધિકારીઓએ થોડા કલાકો માટે યાત્રા સ્થગિત કરી દીધી હતી પરંતુ શનિવારે સવારે 8:00 વાગ્યાથી યાત્રા ફરી શરૂ કરી દેવામાં આવી છે અને ફરી શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે.