મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં સોમવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ હોસ્પિટલ પરિસરમાં જ બાળકો માટે બનાવવામાં આવેલ કમલા નેહરુ હોસ્પિટલના ત્રીજા માળે લાગી હતી. અહીં મોટી સંખ્યામાં બાળકો દાખલ હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર આગને કારણે ચાર બાળકોના મોત થયા છે. જો કે, હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જાણકારી મુજબ, આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં માસૂમો દાઝી ગયા છે. ત્રીજા માળના જે વોર્ડમાં આગ લાગી ત્યાં નવજાત શિશુઓ સાથે ઘણા ડોક્ટરો પણ ફસાયેલા છે. તેમને બહાર કાઢવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે. તો અન્ય માળ પણ ખાલી કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં સોમવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ હોસ્પિટલ પરિસરમાં જ બાળકો માટે બનાવવામાં આવેલ કમલા નેહરુ હોસ્પિટલના ત્રીજા માળે લાગી હતી. અહીં મોટી સંખ્યામાં બાળકો દાખલ હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર આગને કારણે ચાર બાળકોના મોત થયા છે. જો કે, હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જાણકારી મુજબ, આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં માસૂમો દાઝી ગયા છે. ત્રીજા માળના જે વોર્ડમાં આગ લાગી ત્યાં નવજાત શિશુઓ સાથે ઘણા ડોક્ટરો પણ ફસાયેલા છે. તેમને બહાર કાઢવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે. તો અન્ય માળ પણ ખાલી કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.