દ્વાદશ જ્યોતિર્લિંગો પૈકીના એક કાશી વિશ્વનાથ મંદિરના પ્રશાસન દ્વારા મહાશિવરાત્રીના પર્વ માટે લેવામાં આવેલા નિર્ણયથી શ્રદ્ધાળુઓને દુઃખ પહોંચી શકે છે. આ દિવસે શ્રદ્ધાળુઓ બાબાના શિવલિંગના સ્પર્શ દર્શન નહીં કરી શકે. મંદિરમાં થતી ભીડ અને ભાગદોડની સ્થિતિથી બચવા માટે મંદિર પ્રશાસને આ નિર્ણય લીધો છે. જો કે, શ્રદ્ધાળુઓ બાબા વિશ્વનાથને જળાભિષેક જરૂર કરી શકશે. તેના માટે ગર્ભગૃહની બહાર વ્યવસ્થા કરવામાં આવેલી છે.
ઉલ્લેખનીય છે કે, ભગવાન ભોળાનાથની નગરીમાં બે પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પહેલો સંપૂર્ણ શ્રાવણ મહિનો અને બીજો માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહનો ઉત્સવ એટલે કે મહાશિવરાત્રી.
દ્વાદશ જ્યોતિર્લિંગો પૈકીના એક કાશી વિશ્વનાથ મંદિરના પ્રશાસન દ્વારા મહાશિવરાત્રીના પર્વ માટે લેવામાં આવેલા નિર્ણયથી શ્રદ્ધાળુઓને દુઃખ પહોંચી શકે છે. આ દિવસે શ્રદ્ધાળુઓ બાબાના શિવલિંગના સ્પર્શ દર્શન નહીં કરી શકે. મંદિરમાં થતી ભીડ અને ભાગદોડની સ્થિતિથી બચવા માટે મંદિર પ્રશાસને આ નિર્ણય લીધો છે. જો કે, શ્રદ્ધાળુઓ બાબા વિશ્વનાથને જળાભિષેક જરૂર કરી શકશે. તેના માટે ગર્ભગૃહની બહાર વ્યવસ્થા કરવામાં આવેલી છે.
ઉલ્લેખનીય છે કે, ભગવાન ભોળાનાથની નગરીમાં બે પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પહેલો સંપૂર્ણ શ્રાવણ મહિનો અને બીજો માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહનો ઉત્સવ એટલે કે મહાશિવરાત્રી.