અસમની સર્બાનંદ સોનોવાલ સરકારે રાજ્યમાં બધા સરકારી મદરેસા અને સંસ્કૃત સ્કૂલોને બંધ કરવાના પ્રસ્તાવને રવિવારે મંજૂરી આપી છે. રવિવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિધાનસભાના આગામી શિયાળુ સત્રમાં એક બિલ રજૂ કરવામાં આવશે.
મહત્વનું છે કે અસમ વિધાનસભાનું શિયાળુ સત્ર 28 ડિસેમ્બરથી શરૂ થવાનું છે. અસમ સરકારમાં સંસદીય મામલાના મંત્રી અને સરકારના પ્રવક્તા ચંદ્ર મોહન પટવારીએ જણાવ્યુ કે, મદરેસા અને સંસ્કૃત સ્કૂલો સાથે જોડાયેલા હાલના કાયદાને પરત લઈ લેવાશે. તે માટે રાજ્ય વિધાનસભાના આગામી સત્રમાં એક બિલ રજૂ કરવામાં આવશે.
અસમની સર્બાનંદ સોનોવાલ સરકારે રાજ્યમાં બધા સરકારી મદરેસા અને સંસ્કૃત સ્કૂલોને બંધ કરવાના પ્રસ્તાવને રવિવારે મંજૂરી આપી છે. રવિવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિધાનસભાના આગામી શિયાળુ સત્રમાં એક બિલ રજૂ કરવામાં આવશે.
મહત્વનું છે કે અસમ વિધાનસભાનું શિયાળુ સત્ર 28 ડિસેમ્બરથી શરૂ થવાનું છે. અસમ સરકારમાં સંસદીય મામલાના મંત્રી અને સરકારના પ્રવક્તા ચંદ્ર મોહન પટવારીએ જણાવ્યુ કે, મદરેસા અને સંસ્કૃત સ્કૂલો સાથે જોડાયેલા હાલના કાયદાને પરત લઈ લેવાશે. તે માટે રાજ્ય વિધાનસભાના આગામી સત્રમાં એક બિલ રજૂ કરવામાં આવશે.