મધ્ય પ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં આજે સવાર સવારમાં ભીષણ રોડ અકસ્માત સર્જયો. બસ અને ઓટોરિક્ષાની થયેલી આ ટક્કરમાં 12 મહિલાઓ અને એક ઓટો ચાલક સહિત 13 લોકોના મોત થયા. આ ખબરની પુષ્ટિ ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ તોમરે કરી.
ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ તોમરે કહ્યું કે તમામ મહિલાઓ શાળાના બાળકો માટે ભોજન બનાવવા જઈ રહી હતી. મળતી માહિતી મુજબ ટક્કર એટલી ભીષણ હતી કે રિક્ષાના ફૂરચા ઉડી ગયા. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે. જ્યારે ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય અપાશે.
મધ્ય પ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં આજે સવાર સવારમાં ભીષણ રોડ અકસ્માત સર્જયો. બસ અને ઓટોરિક્ષાની થયેલી આ ટક્કરમાં 12 મહિલાઓ અને એક ઓટો ચાલક સહિત 13 લોકોના મોત થયા. આ ખબરની પુષ્ટિ ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ તોમરે કરી.
ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ તોમરે કહ્યું કે તમામ મહિલાઓ શાળાના બાળકો માટે ભોજન બનાવવા જઈ રહી હતી. મળતી માહિતી મુજબ ટક્કર એટલી ભીષણ હતી કે રિક્ષાના ફૂરચા ઉડી ગયા. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે. જ્યારે ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય અપાશે.