નાણાં મંત્રી નિર્મલા સીતારામને મંગળવારે બેન્કોને કહ્યું છે કે તેઓ ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધી સંબંધિત ગ્રાહકોના આધાર નંબર સાથે બેન્કોના તમામ ખાતાઓને જોડે. નાણાકીય સમાવિષ્ટતાની વાર્તા પૂરી થઇ નથી અને હજુ પણ બેન્કોને હજુ પણ આ મામલે ઘણી કામગીરી કરવાની છે. એવા ઘણાં ખાતાઓ છે કે જે આધાર સાથે લિંક થયા નથી. સમગ્ર દેશ મોટી બેન્કો પર આધાર રાખે છે.
ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશનની ૭૩મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા સીતારામને ઉમેર્યું હતું કે ‘૩૧ માર્ચ, ૨૦૨૧ સુધી દરેક ખાતું પાન સાથે સંકળાયેલું હોવું જોઇએ અને આધાર પણ જોડાયેલું હોવું જોઇએ.’ જોકે તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે બેન્કોએ નોન-ડિજિટલ પેમેન્ટ્સને પ્રોત્સાહન ન આપવું જોઇએ અને તેમણે ડિજિટલ પેમેન્ટ્સ ટેકનીક્સના પ્રમોશન પર આધારિત ન હોવા જોઇએ. તેઓ યુપીઆઇ આધારિત પેમેન્ટ્સ પર આધાર રાખે.
નાણાં મંત્રી નિર્મલા સીતારામને મંગળવારે બેન્કોને કહ્યું છે કે તેઓ ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધી સંબંધિત ગ્રાહકોના આધાર નંબર સાથે બેન્કોના તમામ ખાતાઓને જોડે. નાણાકીય સમાવિષ્ટતાની વાર્તા પૂરી થઇ નથી અને હજુ પણ બેન્કોને હજુ પણ આ મામલે ઘણી કામગીરી કરવાની છે. એવા ઘણાં ખાતાઓ છે કે જે આધાર સાથે લિંક થયા નથી. સમગ્ર દેશ મોટી બેન્કો પર આધાર રાખે છે.
ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશનની ૭૩મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા સીતારામને ઉમેર્યું હતું કે ‘૩૧ માર્ચ, ૨૦૨૧ સુધી દરેક ખાતું પાન સાથે સંકળાયેલું હોવું જોઇએ અને આધાર પણ જોડાયેલું હોવું જોઇએ.’ જોકે તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે બેન્કોએ નોન-ડિજિટલ પેમેન્ટ્સને પ્રોત્સાહન ન આપવું જોઇએ અને તેમણે ડિજિટલ પેમેન્ટ્સ ટેકનીક્સના પ્રમોશન પર આધારિત ન હોવા જોઇએ. તેઓ યુપીઆઇ આધારિત પેમેન્ટ્સ પર આધાર રાખે.