ભારત સ્થિત ઈઝરાયેલને રાજદૂત નાઓર ગિલોને કહ્યુ છે કે, હવે સમય આવી ગયો છે કે, ભારત દ્વારા હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરે.
ઈઝરાયેલી રાજદૂતે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, હમાસ સામેના આતંકવાદ વિરોધી ઓપરેશનમાં ઈઝરાયેલનુ સમર્થન કરવા બદલ અમે ભારતનો આભાર માનીએ છે. ઈઝરાયેલે સાત ઓક્ટોબરે હમાસે કરેલા બર્બરતાપૂર્ણ આતંકવાદી હુમલા બાદ ભારતને આગ્રહ કર્યો છે કે, અમેરિકા અને કેનેડાની જેમ ભારત પણ હમાસને આતંકી સંગઠન જાહેર કરે. આ મુદ્દો અમે ભારત સમક્ષ પહેલા પણ ઉઠાવી ચુકયા છે.