ચન્દ્રયાન-૨ના ઓર્બિટરમાંથી લેન્ડર વિક્રમ સોમવારે બપોરે સફળતાપૂર્વક અલગ થઈ ગયું હતું. ઇસરોના જણાવ્યા પ્રમાણે બપોરે ૧:૧૫ કલાકે વિક્રમ અલગ થઈ ગયું હતું. તે હવે સાત સપ્ટેમ્બરે ચન્દ્રની ધરતી ઉપર ઉતરાણ કરશે. ઉલ્લેખનીય છે કે, ચન્દ્રની ભ્રમણકક્ષામાં ફરી રહેલા ઓર્બિટર અને લેન્ડર રવિવારે જ પાંચમી કક્ષામાં પ્રવેશ્યા હતા. મહત્ત્વની વાત એ છે કે, આગામી એક વર્ષ સુધી આ ઓર્બિટર ચન્દ્રની ભ્રમણકક્ષામાં ફર્યા કરશે. બંને હાલમાં સરેરાશ ચન્દ્રની ધરતીથી ૧૨૨ કિ.મી દૂર પરિભ્રમણ કરી રહ્યા છે.
ચન્દ્રયાન-૨ના ઓર્બિટરમાંથી લેન્ડર વિક્રમ સોમવારે બપોરે સફળતાપૂર્વક અલગ થઈ ગયું હતું. ઇસરોના જણાવ્યા પ્રમાણે બપોરે ૧:૧૫ કલાકે વિક્રમ અલગ થઈ ગયું હતું. તે હવે સાત સપ્ટેમ્બરે ચન્દ્રની ધરતી ઉપર ઉતરાણ કરશે. ઉલ્લેખનીય છે કે, ચન્દ્રની ભ્રમણકક્ષામાં ફરી રહેલા ઓર્બિટર અને લેન્ડર રવિવારે જ પાંચમી કક્ષામાં પ્રવેશ્યા હતા. મહત્ત્વની વાત એ છે કે, આગામી એક વર્ષ સુધી આ ઓર્બિટર ચન્દ્રની ભ્રમણકક્ષામાં ફર્યા કરશે. બંને હાલમાં સરેરાશ ચન્દ્રની ધરતીથી ૧૨૨ કિ.મી દૂર પરિભ્રમણ કરી રહ્યા છે.