બરેલી પ્રશાસન દ્વારા સમગ્ર જિલ્લામાં આગામી 3 જુલાઈ સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. કાનપુર ખાતે થયેલી હિંસાના અનુસંધાને મુસ્લિમ ધર્મગુરૂ તૌકીર રજાએ 10 જૂનના રોજ એક વિશાળ વિરોધ પ્રદર્શન યોજવાની ઘોષણા કરી હતી. તેને અનુલક્ષીને સાવચેતીના પગલારૂપે પોલીસે કલમ-144 અંતર્ગત કર્ફ્યુ લાગુ કર્યો છે. પ્રશાસનના કહેવા પ્રમાણે કર્ફ્યુ દરમિયાન સાર્વજનિક સ્થળોએ 5થી વધારે લોકો એકઠા નહીં થઈ શકે. તે સમય દરમિયાન ધરણાં પ્રદર્શન પર પણ પ્રતિબંધ રહેશે. શુક્રવારના રોજ કાનપુર ખાતે જે રીતે હિંસા ભડકી ઉઠી હતી ત્યાર બાદ તે પ્રકારની કોઈ અપ્રિય સ્થિતિથી બચવા માટે પ્રશાસને આ નિર્ણય લીધો છે.
બરેલી પ્રશાસન દ્વારા સમગ્ર જિલ્લામાં આગામી 3 જુલાઈ સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. કાનપુર ખાતે થયેલી હિંસાના અનુસંધાને મુસ્લિમ ધર્મગુરૂ તૌકીર રજાએ 10 જૂનના રોજ એક વિશાળ વિરોધ પ્રદર્શન યોજવાની ઘોષણા કરી હતી. તેને અનુલક્ષીને સાવચેતીના પગલારૂપે પોલીસે કલમ-144 અંતર્ગત કર્ફ્યુ લાગુ કર્યો છે. પ્રશાસનના કહેવા પ્રમાણે કર્ફ્યુ દરમિયાન સાર્વજનિક સ્થળોએ 5થી વધારે લોકો એકઠા નહીં થઈ શકે. તે સમય દરમિયાન ધરણાં પ્રદર્શન પર પણ પ્રતિબંધ રહેશે. શુક્રવારના રોજ કાનપુર ખાતે જે રીતે હિંસા ભડકી ઉઠી હતી ત્યાર બાદ તે પ્રકારની કોઈ અપ્રિય સ્થિતિથી બચવા માટે પ્રશાસને આ નિર્ણય લીધો છે.