અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલી તંગદિલીની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. ઈરાની હવાઈ સીમા પરથી પસાર થવું ખતરો હોવાથી ભારતે તેના વિમાનોને ઈરાની હવાઈ ક્ષેત્રમાંથી ઉડાવવાનું બંધ કરી દીધું છે. ડીજીસીએની સાથે વિચાર વિમર્શ કર્યા બાદ તમામ ભારતીય એરલાઇન્સે ઈરાની એરસ્પેસમાં ન જવાનો નિર્ણય કર્યો છે. એર ઈન્ડિયાના સીએમડી અશ્વિની લોહાણીએ કહ્યું કે આગળની ફ્લાઇટ્સ માટે વૈકલ્પિક રસ્તાઓની વિચારણા ચાલી રહી છે. ઘણી એરલાઇન્સ પણ ઈરાની એરસ્પેસનો ઉપયોગ ન કરવાની જાહેરાત કરી ચૂકી છે. ડીજીસીએ દ્વારા નિવેદનમાં કહેવાયું કે પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારતીય એરલાઇન્સે ઈરાનના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કર્યો છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલી તંગદિલીની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. ઈરાની હવાઈ સીમા પરથી પસાર થવું ખતરો હોવાથી ભારતે તેના વિમાનોને ઈરાની હવાઈ ક્ષેત્રમાંથી ઉડાવવાનું બંધ કરી દીધું છે. ડીજીસીએની સાથે વિચાર વિમર્શ કર્યા બાદ તમામ ભારતીય એરલાઇન્સે ઈરાની એરસ્પેસમાં ન જવાનો નિર્ણય કર્યો છે. એર ઈન્ડિયાના સીએમડી અશ્વિની લોહાણીએ કહ્યું કે આગળની ફ્લાઇટ્સ માટે વૈકલ્પિક રસ્તાઓની વિચારણા ચાલી રહી છે. ઘણી એરલાઇન્સ પણ ઈરાની એરસ્પેસનો ઉપયોગ ન કરવાની જાહેરાત કરી ચૂકી છે. ડીજીસીએ દ્વારા નિવેદનમાં કહેવાયું કે પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારતીય એરલાઇન્સે ઈરાનના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કર્યો છે.