Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

31 જાન્યુઆરીએ શરૂ થયેલ બજેટ સત્ર 2025 ની પ્રથમ બેઠક ગુરુવારે પૂરી થવાની ધારણા છે. આથી બધાની નજર નવા આવકવેરા બિલ પર છે, જે આજે લોકસભામાં રજૂ થવાની સંભાવના છે. કેન્દ્રીય કેબિનેટે નવા આવકવેરા બિલને મંજૂરી આપી હતી. આ બિલનો ઉદ્દેશ્ય 1961 ના વર્તમાન આવકવેરા કાયદાને સરળ અને સુવ્યવસ્થિત કરવાનો છે. 
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના સાંસદોએ સંસદ ભવન સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓના વિરોધનો મુદ્દો કેરળના દરિયાકાંઠા અને જંગલ સરહદ સમુદાયોની સુરક્ષા હતો. બીજી તરફ કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, વાયનાડમાં વન્યજીવોના હુમલામાં સાત લોકોના મોત થયા છે. આ ખૂબ જ ચિંતાજનક સ્થિતિ છે. આ સમસ્યા ઘટાડવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે નાણાં મોકલવા પડશે. હું આજે આ મુદ્દો ઉઠાવવાની આશા રાખું છું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ