દિલ્હી સીએમ અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે ગોવામાં પણ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોભામણા વાયદા કર્યા છે.
કેજરીવાલે કહ્યુ હતુ કે, જો આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તો ભ્રષ્ટાચાર પર લગામ કસશે અને રાજ્યના યુવાઓને સરકારી નોકરીઓ આપશે. દરેક ઘરમાંથી એક બેકારને નોકરી મળશે. કામ શોધી રહેલા યુવાઓને દર મહિને 3000 રૂપિયા બેકારી ભથ્થુ આપવામાં આવશે. 80 ટકા નોકરીઓ ગોવાના લોકો માટે અનામત રહેશે.
કેજરીવાલે એલાન કર્યુ છે કે, કોરોનાના કારણે પર્યટન સેક્ટરમાં બેરોજગાર થયેલા અને માઈનિંગ સેક્ટરમાં બેરોજગાર થયેલા લોકોને 5000 રૂપિયા પ્રતિ મહિના આપવામાં આવશે. ગોવામાં અમે સત્તા પર આવ્યા તો સ્કિલ યુનિવર્સિટી પણ શરૂ કરીશું.
દિલ્હી સીએમ અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે ગોવામાં પણ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોભામણા વાયદા કર્યા છે.
કેજરીવાલે કહ્યુ હતુ કે, જો આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તો ભ્રષ્ટાચાર પર લગામ કસશે અને રાજ્યના યુવાઓને સરકારી નોકરીઓ આપશે. દરેક ઘરમાંથી એક બેકારને નોકરી મળશે. કામ શોધી રહેલા યુવાઓને દર મહિને 3000 રૂપિયા બેકારી ભથ્થુ આપવામાં આવશે. 80 ટકા નોકરીઓ ગોવાના લોકો માટે અનામત રહેશે.
કેજરીવાલે એલાન કર્યુ છે કે, કોરોનાના કારણે પર્યટન સેક્ટરમાં બેરોજગાર થયેલા અને માઈનિંગ સેક્ટરમાં બેરોજગાર થયેલા લોકોને 5000 રૂપિયા પ્રતિ મહિના આપવામાં આવશે. ગોવામાં અમે સત્તા પર આવ્યા તો સ્કિલ યુનિવર્સિટી પણ શરૂ કરીશું.