Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત વિધાનસભાનું શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે. ત્રણ દિવસીય સત્રના પ્રથમ દિવસે વડગામના MLA જિગ્નેશ મેવાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિગ્નેશ મેવાણીને સત્ર પૂર્ણ થાય ત્યા સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તમે મનુ સ્મૃતિમાં માનો છો : મેવાણી  

સંવિધાન દિવસની ઉજવણી સ્વરૂપે વિધાનસભામાં ચર્ચા ચાલતી હતી. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સંવિધાન અંગે જ્યારે બોલી રહ્યાં હતા ત્યારે વડગામના MLA જિગ્નેશ મેવાણીએ ઉદ્ધતાઇભર્યુ વર્તન કર્યુ હતું. જિગ્નેશ મેવાણીએ ગૃહમાં કહ્યું હતું કે, તમે મનુ સ્મૃતિમાં માનો છો. તેમજ સંવિધાન દિવસની ઉજવણીના પ્રસ્તાવ પર મેવાણીએ ગૃહમાં હોબાળો કર્યો હતો. આ દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તેઓને સતત ચેતવણી આપી રહ્યાં હતા, પરંતુ મેવાણી લોબીમાં બુમો પાડતા અંદર ઘુસી ગયા હતા. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ત્યાર બાદ બાદ માર્શલ બોલાવીને મેવાણીને ગૃહની બહાર કાઢ્યા હતા.

'માફી આજે પણ નહી માંગુ અને કાલે પણ નહીં'

વિધાનસભા સત્રમાંથી સસ્પેન્ડ થયા બાદ MLA જિગ્નેશ મેવાણીએ કહ્યું કે સંવિધાનનું પાલન ન કરનારા અને મનુસ્મૃતિમાં માનનાર સંવિધાનનો પ્રસ્તાવ લઈને આવ્યા છે. જે લોકો થાનગઢમાં દલિતોની છાતી પર ગોળી મારી એ લોકો, જે લોકો બાબાસાહેબના બંધારણને દરિયામાં ફેંકવાની વાત કરે એ લોકો સંવિધાન દિવસની ઉજવણી કરે? જિગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રીની માફી માંગવાની વાતને નકારી કાઢી હતી અને મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, હું માફી આજે પણ નહી માંગુ અને કાલે પણ નહી માંગુ આ વાત હું ડંકાની ચોટ પર કહું છું.’

ગુજરાત વિધાનસભાનું શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે. ત્રણ દિવસીય સત્રના પ્રથમ દિવસે વડગામના MLA જિગ્નેશ મેવાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિગ્નેશ મેવાણીને સત્ર પૂર્ણ થાય ત્યા સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તમે મનુ સ્મૃતિમાં માનો છો : મેવાણી  

સંવિધાન દિવસની ઉજવણી સ્વરૂપે વિધાનસભામાં ચર્ચા ચાલતી હતી. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સંવિધાન અંગે જ્યારે બોલી રહ્યાં હતા ત્યારે વડગામના MLA જિગ્નેશ મેવાણીએ ઉદ્ધતાઇભર્યુ વર્તન કર્યુ હતું. જિગ્નેશ મેવાણીએ ગૃહમાં કહ્યું હતું કે, તમે મનુ સ્મૃતિમાં માનો છો. તેમજ સંવિધાન દિવસની ઉજવણીના પ્રસ્તાવ પર મેવાણીએ ગૃહમાં હોબાળો કર્યો હતો. આ દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તેઓને સતત ચેતવણી આપી રહ્યાં હતા, પરંતુ મેવાણી લોબીમાં બુમો પાડતા અંદર ઘુસી ગયા હતા. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ત્યાર બાદ બાદ માર્શલ બોલાવીને મેવાણીને ગૃહની બહાર કાઢ્યા હતા.

'માફી આજે પણ નહી માંગુ અને કાલે પણ નહીં'

વિધાનસભા સત્રમાંથી સસ્પેન્ડ થયા બાદ MLA જિગ્નેશ મેવાણીએ કહ્યું કે સંવિધાનનું પાલન ન કરનારા અને મનુસ્મૃતિમાં માનનાર સંવિધાનનો પ્રસ્તાવ લઈને આવ્યા છે. જે લોકો થાનગઢમાં દલિતોની છાતી પર ગોળી મારી એ લોકો, જે લોકો બાબાસાહેબના બંધારણને દરિયામાં ફેંકવાની વાત કરે એ લોકો સંવિધાન દિવસની ઉજવણી કરે? જિગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રીની માફી માંગવાની વાતને નકારી કાઢી હતી અને મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, હું માફી આજે પણ નહી માંગુ અને કાલે પણ નહી માંગુ આ વાત હું ડંકાની ચોટ પર કહું છું.’

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ