બાબા ભોલેનાથની નગરી દેવઘર પણ મંગળવારથી દેશના એરપોર્ટ માનચિત્ર પર આવી ગયું છે. દેવઘર એરપોર્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. આ અવસર પર નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઝારખંડના વધુ 3 શહેરોમાં એરપોર્ટ બનાવવાનું એલાન કર્યું છે. કેન્દ્રીય મંત્રીએ બોકારો, દુમકા અને જમશેદપુરમાં પણ એરપોર્ટ બનાવવાની જાહેરાત કરી છે. આ ત્રણ શહેરોમાં એરપોર્ટ બનવાથી ઝારખંડમાં કુલ 5 એરપોર્ટ થઈ જશે. રાંચી બાદ દેવઘરમાં પણ એરપોર્ટ ઓપન થઈ ગયું છે.
બાબા ભોલેનાથની નગરી દેવઘર પણ મંગળવારથી દેશના એરપોર્ટ માનચિત્ર પર આવી ગયું છે. દેવઘર એરપોર્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. આ અવસર પર નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઝારખંડના વધુ 3 શહેરોમાં એરપોર્ટ બનાવવાનું એલાન કર્યું છે. કેન્દ્રીય મંત્રીએ બોકારો, દુમકા અને જમશેદપુરમાં પણ એરપોર્ટ બનાવવાની જાહેરાત કરી છે. આ ત્રણ શહેરોમાં એરપોર્ટ બનવાથી ઝારખંડમાં કુલ 5 એરપોર્ટ થઈ જશે. રાંચી બાદ દેવઘરમાં પણ એરપોર્ટ ઓપન થઈ ગયું છે.