સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરતો થયો હતો જેમાં મુસ્લિમ વેપારીઓ શાકભાજીની લારી કે ફળફળાદી વેચવા આવે તો ખરીદી ન કરવી. હિન્દુ વિસ્તારમાં થૂંકીને કોરોના ફેલાવાનું જેહાદી કાર્ય કરે છે તેવો ખોટો મેસેજ કોઈએ વોટ્સએપમાં વાઈરલ કર્યો છે. આ મેસેજને અમદાવાદ પોલીસ કમિશનરે ખોટો અને અતિશયોક્તિભર્યો હોવાનું જણાવીને આવી વાતોમાં ન આવવા તેમજ પોલીસને એલર્ટ કરી હતી. આ મામલે જામનગરમાં એક વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે. શહેરની તમામ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચને એલર્ટ કરવામાં આવી છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો બંદોબસ્ત રાખવા કહ્યું છે.
સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરતો થયો હતો જેમાં મુસ્લિમ વેપારીઓ શાકભાજીની લારી કે ફળફળાદી વેચવા આવે તો ખરીદી ન કરવી. હિન્દુ વિસ્તારમાં થૂંકીને કોરોના ફેલાવાનું જેહાદી કાર્ય કરે છે તેવો ખોટો મેસેજ કોઈએ વોટ્સએપમાં વાઈરલ કર્યો છે. આ મેસેજને અમદાવાદ પોલીસ કમિશનરે ખોટો અને અતિશયોક્તિભર્યો હોવાનું જણાવીને આવી વાતોમાં ન આવવા તેમજ પોલીસને એલર્ટ કરી હતી. આ મામલે જામનગરમાં એક વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે. શહેરની તમામ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચને એલર્ટ કરવામાં આવી છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો બંદોબસ્ત રાખવા કહ્યું છે.